આડા સંબંધની શંકાએ ઝેર પી લેનાર શ્રમિક યુવકનું મોત

રામનાથપરામાં યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા એ-ડિવિઝન પોલીસે તપાસ કરતાં તેના પાડોશમાં રહેતા શખ્સે પત્ની સાથે આડા સંબંધની શંકાઓ કરી ઝઘડાઓ કરતો હોય જેથી તેના પિતા સાથે સમાધાન માટે રામનાથપરામાં એકઠા થયા હતા, પરંતુ ત્યાં શખ્સ અને તેના બનેવીએ મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપતા પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતા પરિવારે આરોપીઅોની તત્કાલ ધરપકડ કરવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતકના પિતા મનસુખભાઇ ગાહેલએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે વિરૂ કિશોરભાઇ વાઘેલા અને તેનો બનેવી પિન્ટુ ગોરીના નામો આપ્યા હતા ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં મોટો પુત્ર શૈલેષ જે સફાઇ કામદાર તરીકે નોકરી કરતો હોય અને નાનો પુત્ર મુકેશ છે. પાડોશી વિરૂની પત્ની તેના પુત્રી શૈલેષ સાથે નોકરી કરતી હોય જેથી આડા સંબંધની શંકાઓ કરી અવાર-નવાર વિરૂ ઝઘડાઓ કરતો હોય જેથી શૈલેષએ રાખડી પણ બંધાવી હતી ત્યાર બાદ ફરી શંકાઓ કરી ધમકીઓ અાપતા શૈલેષભાઇએ તેના પિતાને જાણ કરી હતી જેથી રામનાથપરામાં સમાધાન માટે એકઠા થયા હતા જ્યાં વિરૂ અને તેના બનેવીએ મારકૂટ કરી ધમકી આપતા તેને ઝેરી દવા પી લીધાનું જણાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. સારવાર દરમિયાન શૈલેષનું મોત નીપજતા પરિવારે આરોપીઓને તત્કાલ પકડી લેવાની માંગ સાથે યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતાં પોલીસે મોડી રાત્રીના દોડી જઇ પરિવારને સમજાવવાને પ્રયાસ કરી વિશેષ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *