રાજ્યમાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રિની મોજ માણી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ તરફથી માઠા સમાચાર આવ્યા છે. આવતીકાલથી રાજ્યમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે વરસાદની શક્યતા છે. રવિવારે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદની શક્યતા છે. હાલ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે, જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે, જેના પગલે રાજ્યમાં આવતીકાલથી છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદની શક્યતા છે.