ભારતમાં UKની કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર આજથી સસ્તા મળશે. કારણ કે, ભારત-UK વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ થઈ ગયો છે. એટલે કે આ દિવસથી ભારતના 99% સામાનને UKમાં ઝીરો ટેરિફ પર નિકાસ કરવામાં આવશે. જ્યારે UKના 99% સામાન 3% એવરેજ ટેરિફ પર આયાત થશે.
આનાથી 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો થઈને 120 બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. લગભગ 3 વર્ષમાં 14 રાઉન્ડની વાતચીત પછી 24 જુલાઈ 2025ના રોજ વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને બ્રિટિશ વેપાર મંત્રી જોનાથન રેનોલ્ડ્સે પીએમ નરેન્દ્ર મોદી અને તેમના UK સમકક્ષ કીર સ્ટાર્મરની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ વેપાર કરાર લાગુ થતા પહેલા બંને દેશોના બિઝનેસ અને કંપનીઓ પાસે તૈયારી કરવા માટે હવે માત્ર એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. ભારતમાં UKના હાઈ કમિશનર લિન્ડી કેમરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે! UK અને ભારત આ વાત પર સહમત થયા છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 15 જુલાઈથી લાગુ થઈ જશે. આ આધુનિક યુકે-ભારત પાર્ટનરશિપ માટે એક ઐતિહાસિક ક્ષણ છે, જે આપણી બંને અર્થવ્યવસ્થાઓ માટે વૃદ્ધિના એક નવા યુગની શરૂઆત કરશે.”