દિલ્હીમાં રવિવારે બપોરે 1.30 વાગ્યે એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. 12 લોકોને બચાવવામાં આવ્યા છે. 5 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.
જે ઇમારત પડી તે 40 વર્ષ જૂની હતી. તેનું નિર્માણ 1990માં થયું હતું. MCDના રેકોર્ડમાં તેને ખતરનાક જાહેર કરવામાં આવી ન હતી.
પ્રત્યક્ષદર્શીઓ, પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોના મતે, બેઝમેન્ટમાં છેલ્લા 7 દિવસથી તોડફોડ ચાલી રહી હતી.
પહેલેથી જ નબળા બેઝમેન્ટમાં પાણી પણ ભરાયેલું હતું. રવિવારે ખોદકામ દરમિયાન એક પિલર ખસી જતાં ઇમારત ધરાશાયી થઈ ગઈ. જેના કારણે ત્યાં કામ કરી રહેલા મજૂરો પણ દબાઈ ગયા.
અહીં, દુર્ઘટના પછી કાટમાળ હટાવવાનું કામ સતત ચાલુ છે. પડોશમાં બનેલી અન્ય એક ઇમારતને ખાલી કરાવી લેવામાં આવી છે. તેમાં પણ તિરાડો જોવા મળી છે.
બચાવ ટીમોનું કહેવું છે કે કાટમાળ હટાવવાથી તે બિલ્ડિંગ ધરાશાયી થવાની આશંકા છે. જ્યારે, બિલ્ડિંગને ટેકો આપવા માટે પિલર લગાવવામાં આવી રહ્યા છે.