દિગ્ગજ અભિનેતા અનંત નાગને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2024 થી સન્માનિત કરવામાં આવશે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ બુધવારે તેની જાહેરાત કરી. 22 સપ્ટેમ્બરે ગુજરાતના કેવડિયામાં યોજાનાર 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં અનંત નાગને પુરસ્કાર આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરીને અનંત નાગને અભિનંદન પાઠવ્યા. તેમણે લખ્યું- ઘણા દાયકાઓ સુધી તેમના સહજ અભિનય, ઉત્તમ બહુમુખી પ્રતિભાએ ભારતીય સિનેમા, ખાસ કરીને કન્નડ સિનેમા પર એક મજબૂત છાપ છોડી છે.
અનંત નાગે બ્લોકબસ્ટર ફિલ્મ ‘KGF: ચેપ્ટર 1’ (2018) માં વરિષ્ઠ પત્રકાર અને લેખક ‘આનંદ ઇંગલાગી’નું મહત્વપૂર્ણ પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં તેઓ એક નેરેટરની ભૂમિકામાં જોવા મળ્યા હતા, જે ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં ‘કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ’ (KGF) અને રોકી (યશ)ના નિર્માણ અને ઉદયની ગાથા સંભળાવે છે.
તેમનો ગંભીર અવાજ, સંતુલિત અભિનય અને સ્ટોરી કહેવાની શૈલીએ પહેલાં ભાગને મજબૂત આધાર આપ્યો હતો. આ પાત્ર માટે તેમણે પોતાના અવાજ અને સ્ક્રીન પ્રેઝન્સથી દર્શકોને શરૂઆતથી અંત સુધી જોડી રાખ્યા, જેણે ‘KGF 1’ની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.