નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ 1 ઓક્ટોબર, 2025થી UPIમાં પીઅર-ટુ-પીઅર (P2P) કલેક્શન રિક્વેસ્ટ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ થયો કે હવે કોઈ વ્યક્તિ UPI દ્વારા પૈસા માગવા માટે બીજા વ્યક્તિને રિક્વેસ્ટ મોકલી શકશે નહીં.
P2P કલેક્ટ રિક્વેસ્ટ અથવા ‘પુલ ટ્રાન્ઝેક્શન’ એ એક સુવિધા છે જેમાં UPI યુઝર બીજા યુઝરને પૈસા માગવા માટે રિક્વેસ્ટ મોકલે છે. રિક્વેસ્ટ મળતાં જ, ચુકવણીકાર તેના UPI પિન દ્વારા ચુકવણી મંજૂર કરે છે.
છેતરપિંડી કરનારાઓ આ સુવિધાનો દુરુપયોગ કરીને UPI યુઝર્સ સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. તેઓ અજાણી રિક્વેસ્ટ મોકલતા હતા અને લોકોને ભૂલથી પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કરતા હતા. વધતી જતી સાયબર છેતરપિંડીને રોકવા માટે NPCIએ આ નિર્ણય લીધો છે.