કેન્દ્ર સરકાર ₹60 હજાર કરોડની યોજના લાવી રહી છે

શહેરોમાં ઝૂંપડપટ્ટી અને ભાડાના મકાનોમાં રહેતા લોકોના સપનાને સાકાર કરવા કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રૂ. 60 હજાર કરોડની હોમ લોન સબસિડી સ્કીમ લાવશે. આગામી કેટલાક મહિનામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ થઈ શકે છે.

આ હેઠળ, 9 લાખ રૂપિયા સુધીની લોન વાર્ષિક 3-6.5%ના સબસિડીવાળા દરે ઉપલબ્ધ થશે. 20 વર્ષ સુધીના કાર્યકાળ માટે 50 લાખ રૂપિયાથી ઓછી લોન લેનારાઓ આ યોજના માટે પાત્ર બનશે.

આ યોજના વડાપ્રધાન આવાસ યોજનાથી અલગ હશે
આ યોજના હાલની પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીથી અલગ હશે, જે અંતર્ગત 1.18 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી છે. પીએમ આવાસ યોજના 22 જૂન 2015 ના રોજ ગરીબી રેખા નીચે ઘરવિહોણા, કાચા ઘરો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને કાયમી મકાનો આપવા માટે શરૂ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *