તરઘડી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી શરૂ

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી નજીક આવેલી ભારત સરકારના શિક્ષા મંત્રાલય સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે ધોરણ ૬માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારો www.navodaya.gov.in અથવા https://navodaya.gov.in/nvs/nvs-school/RAJKOT/en/home વેબસાઈટ પર અરજી આગામી તા. 16 સપ્ટેમ્બર, 2024 સુધીમાં કરી શકશે. ધોરણ-6ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ-5માં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અભ્યાસ કર્યો હોવો જોઈએ. અરજી કરવા ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2013થી તા.31/07/2015 સુધીની હોવી જોઈએ. (બંને દિવસો સામેલ છે.) આ નિયમ તમામ કેટેગરીના ઉમેદવારોને લાગુ પડશે તેમજ પ્રવેશ પરીક્ષા તા. 18/01/2025ના રોજ લેવામાં આવશે તેમ જવાહર નવોદય વિદ્યાલયની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *