બિલ્વ પત્ર વિના શિવ પૂજા અધૂરી!

શ્રાવણ માસનાના દિવસ છે અને આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. શિવ ઉપાસનામાં બિલ્વ પત્રનું ખૂબ મહત્ત્વ છે. આ પાન વિના શિવ પૂજા અધૂરી માનવામાં આવે છે. શિવલિંગને બિલ્વના પાનથી શણગારવું જોઈએ. ભોગ ચઢાવતી વખતે પણ પ્રસાદની સાથે બિલ્વના પાન રાખવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્મા અનુસાર, શિવ પૂજામાં પાણીની સાથે બિલ્વપત્ર પણ ફરજિયાત છે. શિવલિંગ પર ચઢાવેલા બિલ્વના પાન ખાવાની પણ પરંપરા છે. બિલ્વના સેવનથી ધાર્મિક લાભની સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળી શકે છે.

એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ શિવલિંગ પર પાણીની સાથે માત્ર બિલ્વના પાન ચઢાવે છે તો તેને ખૂબ જ ઝડપથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે. એક દંતકથા અનુસાર, એક શિકારી શિકાર માટે બિલ્વપત્રના ઝાડ પર ચઢ્યો હતો. શિકારની રાહ જોતી વખતે શિકારીએ અજાણતાં જ બિલ્વનાં પાંદડાં તોડીને નીચે ફેંકવાનું શરૂ કર્યું. ઝાડ નીચે એક શિવલિંગ હતું, તે શિકારીએ ફેંકેલા બિલ્વના પાંદડા શિવલિંગ પર પડી રહ્યા હતા. આથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને શિકારી સમક્ષ હાજર થયા. આ કારણથી શિવલિંગ પર બિલ્વના પાન ચઢાવવાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *