SBIએ FD વ્યાજ દરમાં ઘટાડો કર્યો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં 0.20% સુધીનો ઘટાડો કર્યો છે. હવે, જો તમે SBIમાં 1 વર્ષની FD કરો છો, તો તમને 6.70% વ્યાજ મળશે. નવા વ્યાજ દરો 15 એપ્રિલથી અમલમાં આવશે.

તાજેતરમાં, કેનેરા બેંક અને કોટક મહિન્દ્રા બેંકે પણ FD પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. RBIના રેપો રેટ ઘટાડા બાદ હવે બેંકો પણ FD વ્યાજ દર ઘટાડી રહી છે.

‘અમૃત વૃષ્ટિ’ સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમના વ્યાજ દરોમાં ફેરફાર SBIએ ‘અમૃત વૃષ્ટિ’ નામની ખાસ થાપણ યોજનાના વ્યાજ દરોમાં પણ ફેરફાર કર્યો છે. આ યોજના હેઠળ, સામાન્ય નાગરિકોને 444 દિવસ માટે FD કરવા પર 7.05% વાર્ષિક વ્યાજ આપવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 7.55%ના દરે વ્યાજ આપવામાં આવશે અને સુપર વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 7.65%ના દરે વ્યાજ આપવામાં આવશે.

SBI બીજી એક ખાસ ટર્મ ડિપોઝિટ (FD) યોજના ‘WeCare’ પણ ચલાવે છે. SBIની આ યોજનામાં, વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષ કે તેથી વધુ સમયગાળાની થાપણો (FD) પર 50 બેસિસ પોઈન્ટનું વધારાનું વ્યાજ મળશે. 5 વર્ષથી ઓછી મુદતની રિટેલ ટર્મ ડિપોઝિટ પર વરિષ્ઠ નાગરિકોને સામાન્ય લોકો કરતા 0.50% વધુ વ્યાજ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *