યુપીના હાથરસમાં સત્સંગમાં નાસભાગ, 122ના મોત

યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં 122 લોકોના મોત થયા હતા. 150થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. ઘણાની હાલત નાજુક છે. મૃત્યુઆંક વધી શકે છે.

અકસ્માત બાદની સ્થિતિ ભયાનક છે. હોસ્પિટલની બહાર જમીન પર મૃતદેહો વિખરાયેલા છે. અહીં 95 લાશો પડી છે. આ સિવાય એટાના સીએમઓ ઉમેશ ત્રિપાઠીએ કહ્યું- હાથરસથી અત્યાર સુધીમાં 27 મૃતદેહો એટાહ લાવવામાં આવ્યા છે. જેમાં 25 મહિલાઓ અને 2 પુરૂષો છે.

ફુલરાઈ ગામમાં આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કોઈક રીતે ઈજાગ્રસ્તો અને મૃતકોને બસ-ટેમ્પોમાં ભરીને હોસ્પિટલ લઈ જવાયા હતા. સીએમ યોગીએ મુખ્ય સચિવ મનોજ સિંહ અને ડીજીપી પ્રશાંત કુમારને ઘટનાસ્થળે મોકલ્યા હતા. ઘટનાના કારણની તપાસ માટે ADG આગરા અને અલીગઢ કમિશનરની એક ટીમ બનાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *