ભાજપના ઘમંડ નિવેદન પર RSSના ઈન્દ્રેશનો યુ-ટર્ન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ઈન્દ્રેશ કુમારે 24 કલાકની અંદર ભાજપના ઘમંડી નિવેદન પર યુ-ટર્ન લીધો છે. તેમના નિવેદન પર રાજકીય વિવાદ સર્જાયા બાદ ઈન્દ્રેશ કુમારે પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે આ સમયે દેશનું વાતાવરણ એકદમ સ્પષ્ટ છે. રામનો વિરોધ કરનારા તમામ સત્તાની બહાર છે. જેમણે રામ ભક્તિની પ્રતિજ્ઞા લીધી હતી તેઓ આજે સત્તામાં છે.

તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બની છે. તેમના નેતૃત્વમાં દેશ દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશે. લોકોમાં આ વિશ્વાસ જાગ્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે આ વિશ્વાસ વધુ ખીલે.

એક દિવસ પહેલા ઈન્દ્રેશ કુમારે કહ્યું હતું કે ભાજપાના ઘમંડના કારણે ભગવાન રામે તેમને 241 પર રોક્યા છે. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાથી નેતા અને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કહ્યું કે તેમને આમાં ખુશ રહેવા દો. રામે અમને કામ કરવા માટે બહુમતી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *