RBIની બેંકો સામે લાલ આંખ:લોન-રિકવરી એજન્ટોની દાદાગીરી નહીં ચાલે

બેંકમાંથી લોન લેનારા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારા કરોડો ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ લોન રિકવરી એજન્ટોની મનમાની અને બેંકો દ્વારા કરવામાં આવી રહેલી ‘મિસ-સેલિંગ’ પર લગામ કસવા માટે કડક ગાઈડલાઈન્સ લાવવાનો નિર્ણય કર્યો છે.

શુક્રવારે મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક પછી RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે કેન્દ્રીય બેંક ત્રણ નવા ડ્રાફ્ટ રેગ્યુલેશન જાહેર કરવા જઈ રહી છે. તેમનો હેતુ ગ્રાહકોની સુરક્ષાને મજબૂત કરવાનો અને બેંકોની જવાબદારી નક્કી કરવાનો છે.

આ નિયમો લાગુ થયા પછી રિકવરી એજન્ટો ગ્રાહકોને ડરાવી-ધમકાવી નહીં શકે અને ન તો બેંક તમને એવો ઇન્સ્યોરન્સ કે લોન આપી શકશે, જેની તમને જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *