28 લાખ દીવાથી ઝળહળી રામનગરી, નવો રેકોર્ડ બન્યો

દિવાળીના એક દિવસ પહેલા રામનગરી અયોધ્યા દીવાઓથી ઝળહળી ઉઠી હતી. સરયુ નદીના 55 ઘાટ પર 28 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ સાથે એક નવો રેકોર્ડ સર્જાયો હતો. ગયા વર્ષે 22 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. CM યોગીએ રામ મંદિરમાં પહેલો દીપ પ્રગટાવીને દીપોત્સવનું ઉદ્ઘાટન કર્યું. 1600 અર્ચકોએ સરયુ આરતી કરી હતી.

અગાઉ ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે પુષ્પક વિમાન દ્વારા આવ્યા હતા. યોગીએ તેમનું સ્વાગત કર્યું. ભગવાન રથ પર સવાર થયા. યોગીએ રામનો રથ ખેંચ્યો. ભગવાન રામને રામકથા પાર્કમાં લાવવામાં આવ્યા હતા. અહીં યોગીએ રામની આરતી કરી અને રાજ તિલક કર્યું. ભગવાન રામને આવકારવા દરેક જગ્યાએ કલાકારો ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

રામાયણની ઘટનાઓ પર આધારિત ટેબ્લો રસ્તાઓ પર કાઢવામાં આવી હતી. રામલલાના અભિષેક પછી પ્રકાશનો આ પહેલો તહેવાર છે. જેમાં લગભગ 3 લાખ લોકોએ ભાગ લીધો હતો. તેમાંથી લગભગ 2 લાખ લોકો પહેલીવાર અયોધ્યા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *