ગિફ્ટ નિફ્ટીથી માર્કેટ અંગેની ચાલ વિશે જાણી શકાશે!

સ્ટોક માર્કેટમાં ટ્રેડર્સ નિફ્ટી 50 અને બેન્ક નિફ્ટી જેવા ઇન્ડેક્સને સૌથી વધુ ટ્રેક કરે છે. તે માર્કેટનું સેન્ટિમેન્ટ માપવાનું બેરોમીટર છે.

ગિફ્ટ નિફ્ટી શું છે?
તે એસજીએક્સ નિફ્ટીનું જ નવું સ્વરૂપ છે. અત્યારે સિંગાપુર એક્સચેન્જ પર થનારા નિફ્ટી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટને એસજીએક્સ નિફ્ટી કહેવાય છે. આગામી જુલાઇથી આ કોન્ટ્રાક્ટ્સનું ટ્રેડિંગ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી ગાંધીનગરમાં થવા લાગશે. આ ટ્રેડિંગ એસજીએક્સ અને એનએસઇ વચ્ચે એક વિશેષ વ્યવસ્થા અંતર્ગત થશે.

ગિફ્ટ નિફ્ટી ટ્રેડિંગ ક્યારે શરૂ થશે?
ગિફ્ટ નિફ્ટીમાં આગામી 3 જુલાઇથી ટ્રેડિંગ શરૂ થઇ જશે. ગિફ્ટ નિફ્ટીમાં ટ્રેડિંગ 22 કલાક સુધી થવાની સંભાવના છે.

આ ફેરફારની શું જરૂરિયાત છે?
ભારતીય સ્ટોક એક્સચેન્જે વિદેશી સ્ટોક એક્સચેન્જ સાથે ડેટા શેરિંગને લઇને સમજૂતિ 2018માં રદ્દ કરી હતી. આ પગલાથી ટેકનિકલ રીતે એસજીએક્સ પર નિફ્ટી કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ ખતમ થઇ શકતું હતું. બંને વચ્ચેની મધ્યસ્થતાથી થયેલું સમાધાન જ એનએસઇ આઇએફએસસી-એસજીએક્સ કનેક્ટ પ્રોગ્રામ છે.

રોકાણકારોને શું ફાયદો થશે?
સ્થાનિક રોકાણકારો ગિફ્ટ નિફ્ટીમાં ટ્રેડ નહીં કરી શકે. માત્ર એસજીએક્સની સાથે નોંધાયેલા રોકાણકારો જ ટ્રેડિંગ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *