રાજકોટ 24 કલાક પાણીનો પ્રોજેકટ પડતો મુકાયો

રાજકોટમાં 3 મહિનાની સૌથી લાંબી આચારસંહિતા બાદ આજે (18 જૂન) મનપા કચેરીએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. રાજકોટમાં પ્રારંભિક તબક્કે ચંદ્રેશનગરમાં 24 કલાક મીટરથી પાણી પહોંચાડવા પાઇલોટ પ્રોજેકટ અમલમાં હતો. જોકે, આજની બેઠકમાં આ પ્રોજેકટનાં મેન્ટેનન્સનો ખર્ચ નામંજૂર કરી આડકતરી રીતે 24 કલાક પાણીનો પ્રોજેકટ પડતો મુકવામાં આવ્યો હતો. જ્યારે મનપાની શિક્ષણ સમિતિ સંચાલિત તમામ 26 સ્કૂલો સહિત 27 બિલ્ડિંગોમાં ફાયરનાં સાધનો લગાવવા સહિતની રૂ. 191.37 કરોડની કુલ 65 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.

મનપાની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા મુજબ, આચારસંહિતા બાદ આજે મળેલી બેઠકમાં કુલ 68 દરખાસ્તોમાંથી 65 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. કુલ રૂપિયા 191.37 કરોડના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, 2 દરખાસ્ત નામંજૂર અને 1 દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. જેમાં રેસકોર્ષનું સંચાલન ખાનગી કંપનીને આપવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે સર્વેશ્વર ચોકમાં મલ્ટીલેવલ પાર્કિંગ યોગ્ય ન લાગતા દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. તેમજ વર્ષો પૂર્વે ચંદ્રેશનગર ખાતે 24 કલાક પાણી વિતરણનાં પ્રયોગ માટે મીટર મુકવામાં આવ્યા હતા. આ પ્રોજેકટના મેઈન્ટેન્સની દરખાસ્ત પણ નામંજૂર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *