રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના સ્ટેન્ડ પર સવાલ

ભારતના વિદેશ મંત્રી જયશંકર જાપાનની મુલાકાતે છે. આ દરમિયાન એક જાપાની પત્રકારે વિદેશ મંત્રીને પૂછ્યું – તમે સાર્વભૌમત્વના સન્માનની વાત કરો છો. પરંતુ ભારતે ક્યારેય યુક્રેન પર રશિયાના હુમલાની ટીકા કરી નથી. શું આ બેવડું ધોરણ નથી?

આના પર જયશંકરે કહ્યું- આઝાદી બાદ ભારત પર હુમલા થયા. અમારી સરહદ ઘણી વખત બદલાઈ. પણ પછી કોઈ સિદ્ધાંતોને ટાંકીને અમારી સાથે આવ્યા નહીં. આજે પણ ભારતના કેટલાક ભાગો પર અન્ય દેશોનો કબજો છે, પરંતુ આ મુદ્દે કોઈ સિદ્ધાંતોને જોતું નથી અને તેઓ ભારતને સમર્થન આપવાની વાત કરતા નથી.

જયશંકરે આગળ કહ્યું- દુનિયાને સમજવી ખૂબ મુશ્કેલ છે. અહીં ઘણી માન્યતાઓ, મૂલ્યો અને સિદ્ધાંતો છે. વૈશ્વિક રાજનીતિમાં દેશો ઘણીવાર તેમની અનુકૂળતા અનુસાર તેમના સિદ્ધાંતો પસંદ કરે છે. પછી તેઓએ અન્ય દેશો પર તેનું અનુસરણ કરવા દબાણ કરે છે.

વિદેશ મંત્રીએ કહ્યું- આજે આપણને કહેવામાં આવે છે કે અહીં આ મૂલ્યોનું રક્ષણ કરવું જોઈએ, પરંતુ 80 વર્ષ પહેલા આ મૂલ્યો ક્યાંય જોવા મળતા નહોતા. કાર્યક્રમ દરમિયાન જયશંકરે ફરી એકવાર UNSCમાં સુધારાની માગ કરી.

તેમણે કહ્યું- આજે મોટાભાગના દેશો માને છે કે UNSCમાં ફેરફાર થવો જોઈએ. જ્યારે યુએનની સ્થાપના થઈ ત્યારે તેમાં લગભગ 50 દેશો હતા, જ્યારે આજે 200 દેશો યુએનના સભ્ય છે. કોઈ સંસ્થામાં સભ્યોની સંખ્યા 4 ગણી વધી જાય છે, ત્યારે તેના નેતા અને કાર્ય કરવાની રીત એકસરખી રહી શકતી નથી.

ચીનનું નામ લીધા વિના વિદેશ મંત્રીએ કહ્યું- જે દેશો UNSCમાં ફેરફાર નથી ઈચ્છતા તેઓ તેને સ્થગિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *