જામીન મેળવ્યાનાં સમય ગાળા દરમિયાન અન્ય ગુના આચર્યા હોય તેવાં ઇસમો સામે ઉપલેટા મામલતદારે દંડાત્મક કાર્યવાહી કરી છે રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત આ પ્રકારે દંડ કરી દંડની રકમ સરકારી તિજોરીમાં જમા કરાઈ છે. ઉપલેટા મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ નીખીલ મહેતાએ આવા અસમાજીક તત્વો સામે કાયદાનો દંડો ઉઠાવ્યો છે.
છેલ્લા એક વર્ષમાં સારી ચાલ-ચલગતના જામીન મેળવનાર ઇસમોએ જામીનના સમયગાળા દરમ્યાન ફરી ગુનો કર્યો હોય તેવા સંબંધિત પોલીસ સ્ટેશનનાં રીપોર્ટના આધારે ઉપલેટા તાલુકાના ઉપલેટા પોલીસ સ્ટેશન તળેના ૪ ઈસમને રૂ.૪૫૦૦૦/- તથા ભાયાવદર પોલીસ સ્ટેશન તળેના ૭ ઈસમને રૂ.૭૦,૦૦૦/- મળીને તે કુલ રૂ.1.15 લાખનો દંડ કરી ચલણથી સરકારની તીજોરીમાં ભરપાઈ કરાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે