કુદરતી આફત બાદ સ્થાનિકોની કફોડી હાલત

સિક્કિમમાં લાહોનાક સરોવર પર વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે સમગ્ર સિક્કિમમાં ભારે તબાહી મચી ગઈ છે. મોટા ભાગના વિસ્તારો સંપર્કવિહોણા બન્યા છે. નેશનલ હાઈવે-10નો મોટો ભાગ ધોવાઈ ગયો છે. આઈબીએમ રંગપો લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. સામાન્ય લોકો માટે ખાવા-પીવાની અને રોજિંદી જરૂરિયાતની અન્ય વસ્તુઓની કટોકટી છે. પ્રકાશ લેપચા નામના સ્થાનિક યુવકના કહેવા મુજબ અમારી પાસે ખાવા-પીવા માટે કંઈ બચ્યું નથી. રહેવા માટે કોઈ જગ્યા બાકી નથી. શિરીન કાર્કી નામની મહિલાએ જણાવ્યું હતું કે અમારા ધારાસભ્યો અને મુખ્યમંત્રી ક્યાં છે. અહીં કોઈ નથી. સાસારામથી મજૂર તરીકે કામ કરવા આવેલા રામપ્રસાદે કહ્યું કે અહીં કોઈ તેમની ખબર પૂછવા આવતું નથી. લિસા નામની મહિલાના કહેવા પ્રમાણે અમે અમારા ઘરે જઈ શકતા નથી. ઘરનો ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ડૂબી ગયો છે. ઈન્વર્ટર, મોટર, અનાજ બધું જ ત્યાં રાખવામાં આવ્યું હતું, કંઈ ખબર ન હતી. બધું બરબાદ થઈ ગયું છે. લોકોનું કહેવું છે કે અહીં ફસાયેલા લોકો જ એકબીજાની મદદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *