પોલીસે દુકાનનો કબજો પરત અપાવ્યો, 8ની ધરપકડ

શહેરમાં દાણાપીઠમાં વર્ષો જૂના ભાડાની દુકાનો ખાલી કરાવાના બનાવમાં એ.ડિવિઝન પોલીસે મંડપ સર્વિસના ધંધાર્થીની ફરિયાદ પરથી મસ્જિદના ટ્રસ્ટી સહિત 9 શખ્સ સામે ગુનો નોંધી 8 શખ્સની ધરપકડ કરી વધુ એકની શોધખોળ કરી છે. તેમજ પોલીસે ત્રણેય વેપારીને દુકાનનો કબજો પરત અપાવી સામાન મુકાવ્યો હતો. જેમાં પકડાયેલા ટ્રસ્ટી મુસાણીએ કહ્યું હતું કે, હવે કાયદેસરના નિયમ અનુસાર કાર્યવાહી કરીશું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દાણાપીઠ મેઇન રોડ પર નવાબ મસ્જિદની બાજુમાં મંડપ સર્વિસ ચલાવતા અને કિરણ સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઇ કલ્યાણભાઇ કોટેચા તા.31ના મંગળવારે તેની દુકાન સામે ભત્રીજાની દુકાન પાસે હતા ત્યારે કેટલાક શખ્સોએ મારી દુકાન તથા પાડોશી હસમુખભાઇની દુકાનના તાળાં પોડી સામાન બહાર ફેંકતા હોય આથી વિરેન્દ્રભાઇ ત્યાં ગયા હતા અને મારો સામાન શું કામ બહાર મૂકો છો જેથી સામાવાળાએ હું ફારૂક મુસાણી છું અને નવાબ મસ્જિદનો ટ્રસ્ટી છું. વકફ બોર્ડે તમારી દુકાન જૂના ભાડાથી આપી છે તેને ખાલી કરવાનો હુકમ કર્યો છે. જેથી પાડોશીની દુકાન બંધ હોય તેને ફોન કરી બોલાવ્યા હતા અને તેની પાસે જતા મુસાણીએ કહ્યું કે, તાળાં ખોલી તમારો સામાન બહાર કાઢી લેજો જેથી તેને ગેરેજનો સામાન બહાર કાઢી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *