પીએમ મોદી આર્જેન્ટિનાના પ્રવાસ માટે રવાના થયા

શુક્રવારે મોડી રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના આર્જેન્ટિનાના પ્રવાસે રવાના થયા હતા. પીએમ બન્યા પછી મોદીનો આર્જેન્ટિનાની આ બીજી મુલાકાત છે. આ પહેલા તેઓ 2018માં G20 સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના ગયા હતા.

શનિવારે પીએમ મોદી અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર જેવિયર મિલઈ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આ ઉપરાંત તેઓ ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે.

મોદીની મુલાકાત દરમિયાન ભારત અને આર્જેન્ટિના વચ્ચે સંરક્ષણ, કૃષિ, ઉર્જા, પરમાણુ સહયોગ, વેપાર અને રોકાણ પર ચર્ચા થઈ શકે છે. બંને દેશો વચ્ચે લિથિયમ સપ્લાય અંગે પણ કરાર શક્ય છે.

આર્જેન્ટિના પાસે વિશ્વનો ત્રીજો સૌથી મોટો લિથિયમ ભંડાર છે. મોદી 2 જુલાઈથી 10 જુલાઈ સુધી 5 દેશોની મુલાકાતે છે. તેઓ ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો પછી આર્જેન્ટિના પહોંચશે. આ પછી તેમનો આગામી પડાવ બ્રાઝિલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *