બાંગ્લાદેશમાં ભારતીય ચીજોના બહિષ્કાર વિરુદ્ધ પીએમ હસીના

વડા પ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં વિરોધ પક્ષોના કથિત ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન અંગે પોતાનું મૌન તોડ્યું છે. હસીનાએ મંગળવારે બાંગ્લાદેશના તેજગાંવમાં અવામી લીગ પાર્ટી કાર્યાલયમાં એક કાર્યક્રમ દરમિયાન વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું- તેમની (વિપક્ષી નેતાઓ) પત્નીઓ પાસે કેટલી ભારતીય સાડીઓ છે? જ્યારે તે લોકો તેમની પાર્ટી ઓફિસની બહાર તેમની પત્નીની સાડીઓ સળગાવશે, તો જ સાબિત થશે કે તેઓ ભારતમાં બનેલા ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા છે.

બાંગ્લાદેશમાં ચૂંટણીના સમયથી, બાંગ્લાદેશના વિરોધ પક્ષો, ખાસ કરીને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ (BNP) સોશિયલ મીડિયા પર ઇન્ડિયા આઉટ અભિયાન ચલાવી રહ્યા છે. ગયા અઠવાડિયે BNP નેતાએ તેમની કાશ્મીર શાલ ફેંકી દીધી હતી. ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, માલદીવથી પ્રેરિત બાંગ્લાદેશમાં ‘ઇન્ડિયા આઉટ’ અભિયાન ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *