PAKનાં ડેપ્યુટી PMએ કહ્યું- પરમાણુ શસ્ત્રો વિશે નથી વિચાર્યું

પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે કહ્યું છે કે, તેમણે ક્યારેય ભારત સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનું વિચાર્યું ન હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાનના હુમલા સ્વ-બચાવમાં હતા અને માપેલા હતા.

વિદેશ મંત્રીએ કહ્યું કે, અમને વિશ્વાસ હતો કે અમારી પાસે હવામાં અને જમીન પર તેમને હરાવવા માટે પૂરતી તાકાત છે. ડારે કહ્યું કે ભારતની કાર્યવાહી કાશ્મીર પર કબજો કરવાનો પ્રયાસ હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન પાસે આ હુમલાનો જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

દરમિયાન, પાકિસ્તાની સેનાએ પહેલીવાર સ્વીકાર્યું કે ભારતીય હુમલામાં તેના 11 સૈનિકો માર્યા ગયા હતા. રિપોર્ટ અનુસાર, 78 સૈનિકો પણ ઘાયલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *