નવા નાણાકીય વર્ષમાં વસૂલાત શરૂ કર્યાની તારીખથી તા.31મી મે સુધીમાં સામાન્ય કર, સફાઈ કર, શિક્ષણ ઉપકર, ફાયર ટેક્સ, ડ્રેનેજ કર, દીવાબત્તી કર તથા પાણીચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની ચડત રકમ તથા વ્યાજ-નોટિસ ફી સહિતની પૂરેપૂરી રકમ ભરપાઈ કરી આપનારને સને 2025-26ની સામાન્યકર, પાણીચાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની રકમના 10 ટકા વળતર આપવામાં આવશે.
આ મુદત પૂરી થાય ત્યાર પછીના 30 દિવસની અંદર એટલે કે, તા.1થી 30 જૂન સુધીમાં સામાન્ય કર, સફાઈ કર, શિક્ષણ ઉપકર, ફાયર ટેક્સ, ડ્રેનેજ કર, દીવાબત્તી કર તથા પાણીચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની ચડત રકમ તથા વ્યાજ-નોટિસ ફી સહિતની પૂરેપૂરી રકમ ભરપાઈ કરી આપનારને સને 2025-26ની સામાન્ય કર, પાણીચાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની રકમના 5 ટકા વળતર આપવામાં આવશે.
ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5 ટકા વળતર આપવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનારને 1 ટકા વળતર અપાશે. ત્રણ વર્ષથી આવી યોજનામાં સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલિટી બોનસ પેટે વિશેષ 1 ટકા વળતર આપવામાં આવશે. તેમજ 40 ટકાથી વધારે દિવ્યાંગતા હોય અને ફક્ત તેમના જ નામે હોય તેવી રહેણાક મિલકતોને વિશેષ 5 ટકા વળતર આપવામાં આવશે.