દ્વારકા જગત મંદિરની સુરક્ષા માટે NSG કમાન્ડો

દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે એનએસજી કમાન્ડોની ટીમ આજે દ્વારકા પહોંચી હતી. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલી આ ટીમે મંદિરની અંદર અને બહારના તમામ બાંધકામો તેમજ પ્રવેશદ્વારનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું.

જગત મંદિરને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે, કારણ કે આ મંદિર હંમેશા દુશ્મન દેશોની નજરમાં રહ્યું છે. ટીમે ભક્તોના ચેકિંગની પ્રક્રિયાનું પણ નિરીક્ષણ કર્યું. દરરોજ આશરે પંદર હજારથી વધુ ભક્તો મંદિરમાં દર્શન માટે આવે છે.

આગામી તહેવારો, ખાસ કરીને જન્માષ્ટમી દરમિયાન મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. હાલમાં ગુજરાત પોલીસ દ્વારા મંદિરની સુરક્ષા કરવામાં આવે છે, પરંતુ વધતી જતી ભીડને ધ્યાનમાં રાખતા વર્તમાન પોલીસ બળ અપૂરતું જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *