નીતીશ કુમારે 75 ટકા અનામતનો પ્રસ્તાવ મૂક્યો

મંગળવારે બિહારમાં દેશનો પ્રથમ જાતિ આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર, બિહારમાં 33.16% પછાત વર્ગ, 25.09% સામાન્ય વર્ગ, 33.58% અત્યંત પછાત વર્ગ, 42.93% SC અને 42.7% ગરીબ પરિવારો STમાં છે. સૌથી ગરીબ યાદવ અને ભૂમિહાર છે અને સૌથી સમૃદ્ધ કાયસ્થ છે.

CM નીતીશ કુમારે બિહાર વિધાનસભામાં કેન્દ્ર પાસે અનામતનો વ્યાપ 50%થી વધારીને 75% કરવાની માગ કરી છે. નીતીશ સરકારે OBC અને EBC કેટેગરી માટે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં 94 લાખ ગરીબ પરિવારો છે. આ ગરીબ પરિવારોને રાજ્ય સરકાર તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં તમામ જાતિના ગરીબોને મદદ કરવામાં આવશે. જમીન ખરીદવા માટે રૂપિયા 1 લાખ આપવામાં આવશે. એના માટે 2 લાખ 50 હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે. તેમણે કહ્યું હતું કે આ ટાર્ગેટ 5 વર્ષમાં પૂરો કરવામાં આવશે. જો વિશેષ દરજ્જો મળશે તો અમે એને 2 વર્ષમાં પૂર્ણ કરીશું.

સીએમ નીતીશ કુમારે કહ્યું હતું કે અમે જાતિની વસતિગણતરી અંગે કેન્દ્રને મળ્યા હતા. આ પછી નક્કી થયું કે વસતિગણતરી કેન્દ્ર કરશે અને અમે જાતિની વસતિગણતરી કરીશું.

CM નીતીશ કુમારે કહ્યું હતું કે તેમણે પૂર્વ વડાપ્રધાન વીપી સિંહ પાસે દેશમાં જાતિ ગણતરી કરાવવાની માગણી કરી હતી, પરંતુ એમ થયું નહિ. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ જાતિની વસતિ વધી છે અને જ્ઞાતિ ઘટી છે. દેશમાં જાતિની વસતિગણતરી થઈ નથી ત્યારે આવું કોઈ કેવી રીતે કહી શકે? લોકો આ બધી બોગસ વાતો કહી રહ્યા છે. જો કોઈને કોઈ સમસ્યા હોય તો કેન્દ્રમાં જાતિની વસતિગણતરી કરાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *