મુંબઇ NSE IPO માટે સેબી દ્વારા લીલી ઝંડીની રાહમાં

એનએસઇ બહુપ્રતીક્ષિત આઇપીઓ શરૂ કરવા માટે મૂડી બજારના નિયમનકાર સેબીની મંજૂરીની રાહ જોઈ રહ્યું હોવાનું એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે રિટેલ રોકાણકારોએ ઉચ્ચ જોખમ-ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરવાનું ટાળવું જોઈએ અને માત્ર જાણકાર રોકાણકારોએ જ આવા બજારોમાં પ્રવેશ કરવો જોઈએ.

ભૂતકાળમાં સેબીના અભ્યાસ મુજબ 10માંથી 9 વેપારીઓ ડેરિવેટિવ્ઝ ટ્રેડ્સમાં નાણાં ગુમાવે છે. NSEની IPO યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ચૌહાણે જણાવ્યું હતું, અમે સેબી પાસેથી મંજૂરી મેળવતા જ સુધારેલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સબમિટ કરીશું. NSEના હરીફ BSE (અગાઉ બોમ્બે સ્ટોક એક્સચેન્જ)એ તેનો IPO 2017માં લોન્ચ કર્યો હતો અને હાલમાં તે NSE પર સૂચિબદ્ધ છે. તેના લિસ્ટિંગ દરમિયાન BSEના સીઇઓ હતા.

કથિત ગવર્નન્સ ક્ષતિઓ અંગે એક્સચેન્જ અને તેના કેટલાક ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સ સામે સેબીની તપાસને પગલે એનએસઈની લિસ્ટિંગ યોજનાને બ્રેક લાગી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એક્સચેન્જે તેની સહ-સ્થાન સુવિધાનો દુરુપયોગ કર્યો હતો અને અમુક ટ્રેડિંગ સભ્યોને પ્રેફરન્શિયલ એક્સેસ આપ્યો હતો.

અગાઉ ડિસેમ્બર 2016માં, NSE એ તેના બહુપ્રતીક્ષિત IPO માટે સેબી પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા હતા. પ્રારંભિક શેર વેચાણથી રૂ.10,000 કરોડ મેળવવાની અપેક્ષા હતી. હાલના શેરધારકો OFS (ઓફર-ફોર-સેલ) માર્ગ દ્વારા જાહેર જનતાને 22 ટકા શેર ઑફલોડ કરવા માગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *