મુકેશ અને નીતા અંબાણી વિશ્વના 100 દાનવીરોમાં સામેલ

20 મેના રોજ, પ્રથમ વખત વિશ્વના ટોચના 100 દાનવીરોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુકેશ અને નીતા અંબાણીએ 2024માં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ₹407 કરોડનું દાન આપ્યું હતું. આ ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તીકરણ માટે કામ કરે છે.

આ ઉપરાંત, વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી અને ઝીરોધાના સહ-સ્થાપક નિખિલ કામથનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

TIME100 પરોપકાર 2025ની યાદી TIME મેગેઝિન દ્વારા વિશ્વના સૌથી પ્રભાવશાળી પરોપકારીઓનું સન્માન કરવા માટે બનાવવામાં આવી છે જેઓ પરોપકારના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. આ યાદીમાં 28 દેશોના લોકોનો સમાવેશ થાય છે.

આ યાદી વિશ્વભરના ટાઇમ રિપોર્ટરો, સંપાદકો અને યોગદાનકર્તાઓ દ્વારા એકત્રિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ આયેશા જાવેદે કર્યું હતું. આ યાદી તૈયાર કરવાની પ્રક્રિયા TIME100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી પર આધારિત છે, જેમાં વિવિધ ક્ષેત્રોમાંથી પ્રભાવશાળી લોકોની પસંદગી કરવામાં આવે છે.

અંબાણી પરિવારે 10,000થી વધુ યુવાનોને શિષ્યવૃત્તિ આપીને શિક્ષિત કર્યા છે. 500થી વધુ શાળાઓના માળખાગત સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે અને 20 હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ ખેતી અને પાણી બચાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવી, જેનો લાભ 10,000થી વધુ ખેડૂતોને મળ્યો. આ ઉપરાંત, નીતા અંબાણીએ 1 લાખથી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપીને આત્મનિર્ભર બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *