રાજકોટની દુર્ઘટના બાદ 100થી વધુ ગેમ ઝોન બંધ કરાવાયા

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રવિવારે રાજ્યભરમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન રાજ્યના 100થી વધુ ગેમઝોનમાં નિયમોનું પાલન કરાતું ન હોવાથી બંધ કરાવવામાં આવ્યા છે. જેમાંથી 30 ટકાથી વધુ ગેમઝોન પાસે ફાયર એનઓસી જ ન હતી. કેટલાક તો 5 વર્ષથી મંજૂરી વિના ધમધમતા હતા. મોટાભાગના ગેમઝોનમાં અગ્નિશામક ચીજવસ્તુઓનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ દરવાજો હોવાનું, તેમજ કેટલાક દરવાજા મોડા ખુલતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભુજમાં 3 ગેમઝોનમાં બાંધકામની મંજૂરી વિના ચાલતાં સીલ કરી દેવાયા હતા. તો માધાપરમાં અંડર ગ્રાઉન્ડ ગેમઝોનમાં આવવા-જવવાનો એક જ રસ્તો હતો. ચરોતરમાં 5 વર્ષથી એનઓસી વિના ચાલતાં 3 ગેમઝોન બંધ કરાયા હતા. પાલનપુરમાં આનંદ મેળો શનિવારે રાત્રે જ બંધ કરાયા બાદ જાણવા મળ્યું હતુ કે, ફાયર સેફ્ટીના સાધનો છે પણ એનઓસી મેળવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *