સુરતમાં પરિવારનો સામૂહિક આપઘાત

પાલનપુર પાટિયા પાસે નૂતન રો-હાઉસની સામે એક ચકચારી ઘટના સામે આવી છે. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારનાના સાત લોકોના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ અંગે તપાસ કરી રહી છે, જોકે પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાની શંકાઓ સેવાઈ રહી છે.

પરિવારના 7 લોકોએ આપઘાત કર્યો
મળતી માહિતી મુજબ આ પરિવારના સાત સદસ્યોમાં પતિ-પત્ની, માતા-પિતા, બે બાળક અને એક બાળકીનો સમાવેશ થાય છે. આ ઘટના અંગે હાલ પોલીસ દ્વારા હાલ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સૌપ્રથમ મૃતકોના મૃતદેહોને દવાખાને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે આસપાસના લોકો તથા પરિવારજનોની પૂછપરછ પણ હાથ ધરી છે. જોકે, હાલ આર્થિક સંકડામણના કારણે પરિવારે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *