જામકંડોરણાના સાતોદડ ગામે SBIના ATMમાં ગ્રાહકલક્ષી સુવિધાનો અભાવ

જામકંડોરણા આધુનિક યુગમાં પૈસાની લેવડદેવડ માટે બેંકો આશીર્વાદ સમાન છે તેમાંય એટીએમ આવતા લોકો સરળતાથી પોતાના પૈસાનો સદુપયોગ ગમે ત્યારે કરી શકે પરંતુ જામકંડોરણાના સાતોદડ ગામે એસબીઆઈના કર્મચારીઓ ગ્રાહકને સંતોષકારક સેવાઓ આપવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યા જ છે. ખાટલેે મોટી ખોડ એ છે કે હવે દેશ ડિજિટલાઇઝેશનની વાતો કરતો હોય, ડિજિટલ કરન્સી આવું આવું કરતી હોય અને બીજી તરફ નાના એવા ગામમાં લોકો ને એટીએમની પણ સારી સવલત ન મળે તે કેવું ગણવું?! જામકંડોરણા તાલુકાના કાનાવડાળા ગામ ખાતે રહેતા મયુર્ધ્વજસિંહ જે જાડેજાના જણાવ્યા અનુસાર તારીખ 07. 4.25.બપોરે 2 વાગ્યે સાતોદડ SBI એટીએમ માંથી રોકડ રકમ ₹20,000 ઉપાડ્યા હતા અને બાદમાં ફરી 5000 રકમ ઉપાડતા 5000 એટીએમ મશીનમાં ફસાઈ ગયા હતા. આથી સ્થાનિક બેંક કર્મચારીને રજૂઆત કરતા તેઓએ જણાવ્યું કે આપની રકમ 24 કલાક બાદ તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. આ ઘટનાને 48 કલાક વિત્યા બાદ ફરી મયુર્ધ્વજસિંહે બેંકની મુલાકાત લીધી તો બેન્ક કર્મચારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતાં તેમણે આ માટે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો હતો. બીજી તરફ એસબીઆઈ એટીએમ રૂમમાં પણ રાત્રે લાઇટ પણ બંધ હાલતમાં હોય છે. કોઈ સ્થાનિક મહિલાઓને રાત્રે એટીએમ રૂમમાં જતા પણ ડર લાગે છે. લાઈટ બંધ હોવાના કારણે મહિલાઓ એટીએમમાં પૈસા ઉપાડવા પણ જતી નથી.

આ એટીએમ સીસીટીવી કેમરા પણ બંધ હાલતમાં છે. સ્થાનિક લોકોમાં એવું પણ જાણવા મળે છે કે રાત્રે એટીએમ મશીન જાણે કે ભગવાન ભરોસે ચાલતું હોય તેવી પરિસ્થિતિ છે એસબીઆઈના કર્મચારીઓને રજૂઆતો કરવામાં આવે ત્યારે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ તમારે થાય તે કરી લો તેવા ઉડાઉ જવાબો આપવામાં આવતા હોવાથી અરજદારોમાં નારાજગી છવાઇ છે.એક તરફ એસબીઆઇ એવો દાવો કરે છે કે દેશની નંબર વન બેંક, અને આ જ બેંકના ખાતેદારોને સાતોદડમાં એટીએમની સુવિધા પણ સંતોષકારક ન મળે તે તો ક્યાંનો ન્યાય? આથી અધિકારીઓ આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી અપેક્ષા અયોગ્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *