ખડગેએ કહ્યું- મોદીજી વિશ્વગુરુ હોય કે ઘરના ગુરુ

સોમવારે કર્ણાટકના રાયચુરમાં એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, આપણા વડાપ્રધાન વિશ્વ ગુરુ બનવાનો નારો લગાવે છે. જ્યારે બીજી તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આપણે આને રોકવાનો પ્રયાસ કરવો જોઈતો હતો.

ખડગેએ કહ્યું, ભલે તમે (મોદીજી) વિશ્વ ગુરુ હો કે ઘર ગુરુ. લોકોને પેટ્રોલ, ડીઝલ, ખોરાક, કપડાં અને માથા પર છતની જરૂર છે. અમે ઇચ્છતા હતા કે તેઓ આ વસ્તુઓ માટે પ્રયત્ન કરે.

ખડગેએ પ્રધાનમંત્રીને યાદ અપાવ્યું કે ઈરાન હંમેશા ભારતને ટેકો આપે છે કારણ કે દેશ તેની ઇંધણ જરૂરિયાતોના 50 ટકા ઈરાનથી આયાત કરે છે.

ખડગેએ વધુમાં કહ્યું કે- પીએમ મોદી હંમેશા વિપક્ષને નીચું બતાવે છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકોમાં પીએમ ગેરહાજર હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમને વિપક્ષ પ્રત્યે બિલકુલ માન નથી.

ખડગેએ કહ્યું, પહેલગામમાં આતંકવાદીઓએ 26 લોકોને મારી નાખ્યા. જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને આતંકવાદીઓને ખતમ કરી દીધા. તે સમયે આખો દેશ સેનાની સાથે ઉભો હતો, પરંતુ આવા સમયે પણ કેટલાક લોકો વ્યક્તિગત શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *