રાહુલની સુરક્ષાને લઈને ખડગેનો અમિત શાહને પત્ર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આસામમાં રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને ગૃહમંત્રી અમિત શાહને બે પાનાંનો પત્ર લખ્યો છે. પત્રમાં 18 જાન્યુઆરીએ ભારત જોડો ન્યાયયાત્રા આસામમાં પ્રવેશ્યા પછી 22 જાન્યુઆરી સુધી રાહુલની સુરક્ષામાં ખામીની પાંચ ઘટનાઓનો ઉલ્લેખ છે.

ખડગેએ ગૃહમંત્રીને કહ્યું- આસામના મુખ્યમંત્રી અને ત્યાંના ડીજીપીને સૂચના આપો જેથી કોઈ અઘટિત ઘટના ન બને. ખડગેનું કહેવું છે કે યાત્રાના વિરોધમાં ભાજપના સમર્થકો રાહુલના કાફલાની ખૂબ નજીક આવી રહ્યા છે. આવી સ્થિતિમાં રાહુલને પણ પોતાની સુરક્ષાની અવગણના કરીને બહાર આવવાની ફરજ પડી છે. રાહુલને Z+ સિક્યોરિટી મળવી જોઈએ.

ખડગેના પત્રમાં 5 ઘટનાઓનો ઉલ્લેખ છે

  1. આસામમાં 18 જાન્યુઆરીના પહેલા જ દિવસે શિવસાગર જિલ્લાના અમીગુડીમાં યાત્રાને રસ્તામાં સુરક્ષા આપવાને બદલે પોલીસ ભાજપના પોસ્ટરોની સુરક્ષા કરી રહી હતી.
  2. 19 જાન્યુઆરીના રોજ બીજેપી સાથે સંકળાયેલા કેટલાક અપરાધીઓ લખીમપુરમાં યાત્રાના બેનરો અને પોસ્ટરો ફાડતા અને તોડતા પકડાયા હતા.
  3. સોનિતપુરમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ સાથે ઝપાઝપી કરી હતી. જયરામ રમેશની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. અહીંના એસપી મુખ્યમંત્રીના ભાઈ છે.
  4. તે જ દિવસે સોનિતપુર જિલ્લામાં બીજેપી કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના કાર્યકરોએ આસામ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેન બોરા પર હુમલો કર્યો હતો.
  5. 22 જાન્યુઆરીના રોજ ભાજપના કાર્યકરોએ નાગાંવ જિલ્લામાં રાહુલ ગાંધીના કાફલાને રોક્યો અને તેમની ખૂબ નજીક આવીને તેમના માટે અસુરક્ષિત વાતાવરણ ઊભું કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *