એક તરફ, ઘણા બોલિવૂડ સ્ટાર્સે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તે જ સમયે, એક્ટર સુનિલ શેટ્ટીએ દેશવાસીઓને તેમની આગામી રજાઓ કાશ્મીર ખીણમાં વિતાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આપણે નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા લોકોને આ સંદેશ આપવો પડશે કે કાશ્મીર આપણું હતું, આપણું છે અને હંમેશા આપણું જ રહેશે.
સુનીલ શેટ્ટીએ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ્સ 2025 માં હાજરી આપી હતી. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું, ‘અમારા માટે, માનવતાની સેવા એ જ ભગવાનની સાચી સેવા છે.’ ભગવાન બધું જોઈ રહ્યા છે અને સમય આવશે ત્યારે તે બધાને જવાબ આપશે. આ સમયે આપણે એકતા રાખવી પડશે અને સાચા ભારતીય બનવું પડશે. ભય અને નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા લોકોની જાળમાં ફસાવવાને બદલે આપણે આપણી એકતા જાળવી રાખવી પડશે.’
સુનીલ શેટ્ટીએ કહ્યું, ‘મેં પોતે ફોન કરીને કહ્યું હતું કે જો કાલે તેમને લાગે કે અમારે ત્યાં જવું જોઈએ, પછી ભલે તે પ્રવાસી તરીકે હોય કે શૂટિંગ માટે કલાકાર તરીકે, તો અમે ચોક્કસ ત્યાં જઈશું. અત્યારે આપણે એકતામાં રહેવાની જરૂર છે. ભય અને નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા લોકોથી ગેરમાર્ગે દોરાયા વિના, આપણે સાથે મળીને તેમને બતાવવું જોઈએ કે કાશ્મીર આપણું હતું, આપણું છે અને હંમેશા આપણું જ રહેશે.