કંગના રનૌત સોનુ સૂદ સાથે નથી કરવા માગતી મિત્રતા

કંગના રનૌત અને સોનુ સૂદ વચ્ચેનો અણબનાવ કોઈનાથી છુપાયેલો નથી. 2019ની ફિલ્મ મણિકર્ણિકાના સેટ પર સોનુ અને કંગના વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ સોનુએ ફિલ્મ છોડી દીધી હતી. હાલ ફરીથી કંગનાએ આ ઝઘડા વિશે વાત કરી છે. જો કંગનાનું માનીએ તો તેને સોનુ સાથેના અણબનાવને ઉકેલવામાં રસ નથી.

તાજેતરમાં જ શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં કંગના રનૌતને સોનુ સૂદ પર એક સવાલ પૂછવામાં આવ્યો હતો. તેને કહેવામાં આવ્યું કે થોડા સમય પહેલા સોનુએ કહ્યું હતું કે કંગના તેની મિત્ર છે, પરંતુ તેઓ 5 વર્ષથી તેની વાત થઈ નથી. આના પર કંગનાએ કહ્યું, એવું જરૂરી નથી કે આપણે જેને મળીએ તેની સાથે આપણે મિત્રતા હોય. તેવું જરૂરી તો નથી જ ને? મને લાગે છે કે કેટલાક લોકો મારાથી નારાજ છે અને તેને નારાજ જ રહેવું જોઈએ.

સોનુ સૂદ ફિલ્મ મણિકર્ણિકામાં સદાશિવ રાવની ભૂમિકામાં હતો. શરૂઆતમાં આ ફિલ્મના ડિરેક્ટર ક્રિશ હતા. તેણે મોટાભાગની ફિલ્મનું શૂટિંગ કર્યું હતું, જોકે પછીથી તે બીજી ફિલ્મમાં વ્યસ્ત થઈ ગયો હતો. તેમના ગયા પછી, કંગના રનૌતે પોતે જ મણિકર્ણિકા ફિલ્મનું નિર્દેશન કરવાનું નક્કી કર્યું.

શૂટિંગ દરમિયાન સોનુ સૂદ કંગનાના ડિરેક્શનથી ખુશ નહોતો. એક ઈન્ટરવ્યુમાં સોનુ સૂદે કહ્યું હતું કે કંગનાએ સ્ક્રિપ્ટ મુજબ તેના તમામ સીન હટાવી દીધા હતા. જ્યારે તેણે કંગના સાથે આ અંગે વાત કરી તો બંને વચ્ચે ઝઘડો થયો. અણબનાવ બાદ સોનુ સૂદે ફિલ્મ છોડી દીધી હતી. બાદમાં તેની જગ્યાએ ઝીશાન અયુબને કાસ્ટ કરવામાં આવ્યો હતો.

સોનુ સૂદે કહ્યું હતું કે તેણે આ ફિલ્મના શૂટિંગ માટે 4 મહિનાનો સમય આપ્યો હતો. તે જ સમયે, તેણે આ ફિલ્મ માટે અન્ય ઘણી ફિલ્મોની ઓફર પણ ઠુકરાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *