ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો, 180થી વધુ મિસાઈલો છોડી

ઈરાને મંગળવારે મોડી રાત્રે 10 વાગ્યે ઈઝરાયલ પર 180થી વધુ મિસાઈલો છોડી. ઇઝરાયલ સરકારે તેના નાગરિકોને બોમ્બ શેલ્ટર પર જવા માટે કહ્યું છે. દેશભરમાં સાયરન વાગી રહ્યા છે.

અમેરિકાએ થોડા કલાકો પહેલા આ હુમલાનો દાવો કર્યો હતો. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, અમેરિકાએ ઈરાનને પણ ગંભીર પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે.

બીજી તરફ, અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ (એનવાયટી) એ ત્રણ ઈઝરાયલ અધિકારીઓને ટાંકીને દાવો કર્યો છે કે ઈરાન ઈઝરાયલના ત્રણ એરબેઝ અને તેલ અવીવમાં એક ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું. જેના કારણે તેમને બહાર કાઢવામાં આવ્યા છે.

NYTએ નિષ્ણાતોને ટાંકીને લખ્યું છે કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો ભય વધી ગયો છે. આ પહેલા પણ ઈરાને ઈઝરાયલ પર એપ્રિલમાં લગભગ 300 મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. તે સમયે ઈરાનથી ઈઝરાયલ સુધી બેલેસ્ટિક મિસાઈલ પહોંચવામાં લગભગ 12 મિનિટનો સમય લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *