ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ કાવતરાના દાવાઓ નકાર્યા

ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ચિંતાઓને ફગાવી દીધી હતી. બાંગ્લાદેશે દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના અવામી લીગ પક્ષના કેટલાક કાર્યકરો ભારતમાં તેની વિરુદ્ધ રાજકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.

જયસ્વાલે કહ્યું કે, ભારત સરકારને ભારતમાં અવામી લીગના કાર્યકરો દ્વારા બાંગ્લાદેશ વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિની જાણ નથી. ભારત તેની ધરતી પરથી કોઈપણ દેશ વિરુદ્ધ કોઈપણ રાજકીય પ્રવૃત્તિઓને મંજૂરી આપતું નથી.

જયસ્વાલે બાંગ્લાદેશની વચગાળાની સરકારના નિવેદનને ખોટું ગણાવ્યું અને કહ્યું કે ભારત ઇચ્છે છે કે બાંગ્લાદેશમાં શક્ય તેટલી વહેલી તકે મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજાય, જેથી લોકોની ઇચ્છા જાણી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *