આંધ્રપ્રદેશમાં 20 વર્ષનું સૌથી વિનાશક પૂર, 2.75 લાખથી વધુ લોકો બેઘર થયા

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગત સપ્તાહથી પડી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદની સાથે-સાથે ડેમોમાંથી છોડવામાં આવતા પાણી આફત બન્યું છે. સૌથી ગંભીર સ્થિતિ વિજયવાડાની છે, જે 20 વર્ષના સૌથી ભીષણ પૂરનો સામનો કરી રહ્યું છે. પૂરનું કારણ બુડામેરુ નદી છે. આ નદી વિજયવાડા માટે શોકજન્ય છે, કારણ તેના લીધે ઘણી વખત આફતનો સામનો કરવો પડ્યો છે.

બુડામેરુ નદીના પૂરના લીધે વિજયવાડાના અડધાથી વધુ વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે અને 2.75 લાખથી વધુ લોકો ડૂબેલાં ઘરોમાં ફસાયેલાં છે. બુડામેરુ નદી આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સરહદે સ્થિતિ ખમ્મર જિલ્લામાંથી નીકળે છે. આ નદી એનટીઆરના માયલાવારમ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *