ડેરિવેટિવ્સ સટ્ટામાં પરિવારો વર્ષે રૂ.60,000 કરોડ ગુમાવે છે : બુચ

સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે જણાવ્યું કે દર વર્ષે ફ્યૂચર્સ અને ઑપ્શન સેગમેન્ટમાં પરિવારોને રૂ.60,000 કરોડનું નુકસાન થાય છે. NSE ખાતેની ઇવેન્ટને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે ડેરિવેટિવ્સ માર્કેટમાં આ પ્રકારના સટ્ટાને શા માટે સમસ્યા તરીકે ગણી શકાય નહીં.

F&Oમાં રૂ.50,000-60,000 કરોડનું નુકસાન થાય છે ત્યારે જો એ જ રકમ આગામી આઇપીઓ રાઉન્ડ, મ્યુચ્યુઅલ ફંડ કે પછી અન્ય હેતુ માટે રોકવામાં આવ્યા હોત તો તો તે મુદ્દો કેમ નથી તેવો સવાલ બૂચે કર્યો હતો.સેબીના એક સ્ટડી અનુસાર 90% ટ્રેડ ખોટમાં પરિણમે છે.

ફ્રી યિલ્ડિંગ ટ્રેડ્સને રોકવા માટેના આ પ્રકારના પ્રયાસોની અસર અંગેના સવાલના જવાબમાં NSEના MD આશિષ કુમાર ચૌહાણે કહ્યું કે તેઓ નિયમનું પાલન કરશે. બુચે જણાવ્યું હતું કે ફીની અસરથી એક્સચેન્જો માટે ટૂંકા ગાળાના ટ્રેડ-ઓફ હોવા છતાં, લાંબા ગાળે તે તમામ શેરધારકો માટે ફાયદાકારક રહેશે. એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ રોકાણકારો માટે જોખમી ડેરિવેટિવ્ઝ પ્રવૃત્તિ માટે વૈકલ્પિક અથવા રિપ્લેસમેન્ટ હોઈ શકે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *