હોકી ઈન્ડિયા જૂથવાદ અને મતભેદોના આરોપોને નકાર્યા

હોકી ઈન્ડિયાએ ભૂતપૂર્વ CEO એલેના નોર્મનના જૂથવાદ અને આંતરિક મતભેદોના આરોપોને ફગાવી દીધા છે. ફેડરેશનના પ્રમુખ દિલીપ તિર્કી અને જનરલ સેક્રેટરી ભોલાનાથ સિંહે બુધવારે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું- ‘અમે હોકીની સુધારણા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.’

હોકી ઈન્ડિયા એ ભારતીય હોકીના વિકાસ માટે રચાયેલી એક સ્વાયત્ત અને વ્યાવસાયિક સંસ્થા છે. અમારો ધ્યેય હોકી અને અમારા ખેલાડીઓની સુધારણા અને પ્રગતિ છે. વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે અમારી રાષ્ટ્રીય ટીમને તમામ પ્રકારનો ટેકો આપવામાં આવે છે.

ફેડરેશને દરેક ખેલાડી અને ટીમ સાથે સમાનતા જાળવી રાખી છે. તમામને સમાન સુવિધાઓ અને લાભો આપવામાં આવ્યા હતા, જેમાં રોકડ પુરસ્કાર અને માન્યતાનો સમાવેશ થાય છે. અમે પાયાના સ્તરથી લઈને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ સમાનતામાં માનીએ છીએ.

અમે મહિલા ટીમને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું. આ સાથે, અમે પેરિસ ઓલિમ્પિકમાં ફરી એકવાર મેડલ જીતવા માટે પુરૂષ ટીમને તમામ સંભવિત સુવિધાઓ પૂરી પાડીશું.

અમને અમારી ટીમો અને અમારા ખેલાડીઓ માટે હોકી ચાહકોના સતત સમર્થનની જરૂર છે. અત્યારે સમગ્ર ધ્યાન ઓલિમ્પિક ગેમ્સ પર હોવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *