હરભજને પાકિસ્તાની ક્રિકેટરને તતડાવી નાખ્યો!

પૂર્વ ભારતીય ક્રિકેટર અને પંજાબના AAPના લોકસભા સાંસદ હરભજન સિંહ અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલ આમને-સામને છે. ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન હારથી નારાજ કામરાન અકમલે ભારતીય ટીમના બોલર અર્શદીપ સિંહ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.

આનાથી ગુસ્સે થઈને હરભજન સિંહે કહ્યું- ‘તું કામરાન અકમલ, તારે ગંદું મોઢું ખોલતાં પહેલાં શીખોનો ઈતિહાસ જાણી લેવો જોઈએ. જ્યારે હુમલાખોરોએ અપહરણ કર્યું ત્યારે અમે શીખોએ તમારી માતાઓ અને બહેનોને બચાવી હતી, સમય રાતના 12 વાગ્યાનો હતો. તમારે શરમ અનુભવવી જોઈએ, કંઈક માટે આભારી થવું જોઈએ.’

પાકિસ્તાનના એક ટીવી શો દરમિયાન પૂર્વ ક્રિકેટર કામરાને વાંધાજનક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે 12 વાગી ગયા છે. વાસ્તવમાં 12 વાગ્યાએ ટિપ્પણીથી શીખ સમુદાયને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ સંદર્ભનો તદ્દન ઐતિહાસિક જોડાણ છે.

કામરાન અકમલે ઐતિહાસિક સંદર્ભને સમજ્યા વિના ખરાબ ટિપ્પણી કરી. આ વાત પર હરભજન સિંહને ગુસ્સો આવ્યો અને તેણે કામરાનને ખખડાવી નાખ્યો. હરભજને તેના X એકાઉન્ટ પર કામરાનને ટેગ કરીને તેની પર પ્રહારો કર્યા. એ બાદ કામરાનને તરત જ માફી માગવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *