આટકોટ પાસે ડિવાઇડર પર અકસ્માત સર્જે તેમ પથરાયા જાહેરાત માટેના મહાકાય પોલ

આટકોટ નજીક આવેલી હોસ્પિટલ પાસે જે તે સમયે ડેકોરેટિવ લાઇટ્સ લગાવવા મંગાવવામાં આવેલા પોલ હવે વેરવિખેર અને નડતરરૂપ થાય તે રીતે ગોઠવી દેવામાં આવ્યા છે. એક સમયે આજ જ પોલ પર લાઇ્ટસ ઝબુકતી હતી અને અજવાળા પાથરતી હતી અને હવે એ જ પોલ ન કરે નારાયણ અને કોઇની જિંદગીમાં અંધકાર ફેલાવી દે તે રીતે રાખી દેવામાં આવ્યા છે. જે બાબત તંત્રના ધ્યાને નહીં હોય તેમ માનવાને તો કોઇ કારણ નથી જ પરંતુ કહ્યા વિના કામ ન જ કરવું એવું માનતું તંત્ર આ જોયા પછી પગલાં લેશે કે કેમ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *