મરણોન્મુખ નિવેદનો હંમેશાં આરોપ પુરવાર કરવાનો આધાર ન હોઈ શકે

સુપ્રીમકોર્ટે એક મહત્ત્વના મામલામાં કહ્યું કે અદાલતોએ ડાઈંગ ડિક્લેરેશન એટલે મોત પહેલાં આપેલાં નિવેદનો પર વિશ્વાસ કરતી વખતે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. ભલે કાયદો એ અંદાજ લગાવે કે તે સાચા હોય છે. સાથે જ સુપ્રીમકોર્ટે મૃત્યુ પહેલાં આપેલાં નિવેદનો પર આધાર રાખવાના પરિબળો પણ આપ્યાં છે. નીચલી અદાલતોના સહવર્તી તારણો હોવા છતાં, સર્વોચ્ચ અદાલત તે વાત સાથે સંમત નથી કે માત્ર મૃત્યુ પહેલાં આપેલાં નિવેદનોના આધારે દોષિત ઠરાવી શકાય.

સુપ્રીમકોર્ટે કહ્યું કે અમે એ વાતથી સંતુષ્ટ નથી કે ફરિયાદી પક્ષે અપીલકર્તા-દોષિત વિરુદ્ધ તેનો કેસ યોગ્ય શંકાની બહારનો સાબિત કર્યો છે. તેથી, અમે આ અપીલોને મંજૂરી આપીએ છીએ અને અપીલકર્તા-દોષિતને તેની સામે લગાવવામાં આવેલા તમામ આરોપોમાંથી મુક્ત કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *