પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલા સાબરમતી, સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. અમદાવાદ-વિરમગામ સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનથી પસાર થતી 2 ટ્રેનો સંપૂર્ણ અને 2 ટ્રેનો આંશિક રદ્દ તેમજ એક ટ્રેન ડાયવર્ટ કરાઈ છે.
ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર વચ્ચે 01.12.2024 અને 02.12.2024ના રોજ આંશિક રીતે રદ રહેશે.