ધોરાજી શહેરના મુસ્લિમ વિસ્તારમાં સફાઇના અભાવે ગંદકીના પાથરણા

ધોરાજીમાં મોહરમના તહેવાર નિમિત્તે મુસ્લિમ વિસ્તારમાં સફાઇ કામ થયું જ ન હોઇ ગંદકીના પાથરણા પથરાયા છે ત્યારે તાત્કાલિક સફાઈ કામ કરાવી વિસ્તારને ચોખ્ખોચણાક કરવા માગણી ઉઠી છે.

ધોરાજીમાં મુસ્લિમ સમાજનું નવું વર્ષ અને શહીદીના પર્વ મહોરમ માસનો તા 7 જૂનથી પ્રારંભ થનાર છે. આ બાબતે ધોરાજીના સામાજિક કાર્યકર હુસેન કુરેશી દ્વારા ધોરાજી નગર પાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી ને રજૂઆત કરવામાં આવી છૅ કે મુસ્લિમોના પવિત્ર તહેવાર શહિદી પર્વ નિમિત્તે શહેરના મુસ્લિમ વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવે અને ખાસ કરીને દવાનો છંટકાવ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે પણ જગ્યાએ ગંદકીના ગંજ પડ્યા છે તે પણ ઉપાડી લેવામાં આવે તેવી પણ પત્રમાં માંગ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *