DGCAએ કહ્યું- દરેક ઉડાન પહેલા બોઇંગ 787નું નિરીક્ષણ જરૂરી

DGCAએ શુક્રવારે એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર કાફલાનું સલામતી નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ 12 જૂનના રોજ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયાના એક દિવસ પછી જારી કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે દરેક ઉડાન પહેલાં બોઇંગના 787-8 અને 787-9 વિમાનનું નિરીક્ષણ કરવામાં આવશે. તમામ રિપોર્ટ DGCAને સુપરત કરવામાં આવશે.

DGCAએ એર ઇન્ડિયાને GenX એન્જિનવાળા બોઇંગ 787-8 અને 787-9 વિમાનોનું વધારાનું જાળવણી કરવા નિર્દેશ આપ્યો છે. આ આદેશ 15 જૂનથી અમલમાં આવશે. ટાટા ગ્રુપના એર ઇન્ડિયાના કાફલામાં 26 બોઇંગ 787-8 અને 7 બોઇંગ 787-9 છે.

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એ બોઇંગ દ્વારા ઉત્પાદિત એક આધુનિક, મધ્યમ કદનું, ટ્વીન-એન્જિન, પહોળું બોડી જેટ વિમાન છે. તે લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને જૂના બોઇંગ 767ને બદલવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. તે એક ફ્યુલ એફિસિયન્ટ વિમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *