સીમા હૈદરના બાળકોને પાકિસ્તાન બોલાવવાની માગ

પાકિસ્તાનથી ભાગીને પોતાના ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદરની મુશ્કેલીઓ વધી શકે છે. પાકિસ્તાનની બાળ અધિકાર સંસ્થાએ સીમા હૈદરના બાળકોને પાકિસ્તાન પરત લાવવાની માગ કરી છે.

ન્યૂઝ એજન્સી ANIએ પાકિસ્તાની વેબસાઈટ ARY ન્યૂઝને ટાંકીને આ જાણકારી આપી છે. પાકિસ્તાનમાં બાળકોના અધિકારો સાથે જોડાયેલી સંસ્થા NCRCએ વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. અપીલ કરવામાં આવી છે કે સીમા હૈદરના ચાર બાળકોની સલામત પરત સુનિશ્ચિત કરવામાં આવે.

સીમા 10 મે, 2023ના રોજ નેપાળ થઈને ભારત આવી હતી. પોલીસે તેની 4 જુલાઈએ ગેરકાયદેસર રીતે ભારત આવવા બદલ ધરપકડ કરી હતી.

નેપાળમાં ગુલામ હૈદરના વકીલ માહિતી એકત્ર કરી રહ્યા છે
દરમિયાન, ગુલામ હૈદરના ભારતીય વકીલ મોમિન મલિક છેલ્લા કેટલાક દિવસોથી નેપાળમાં કેમ્પ કરી રહ્યા છે. અહીં તેઓ બોર્ડર કેસના તમામ તથ્યો એકઠા કરી રહ્યા છે. દરમિયાન, તેણે સીમા હૈદર વિરુદ્ધ નેપાળ પોલીસ સ્ટેશન, નેપાળ મંત્રાલય અને નેપાળના માનવ તસ્કરી વિરોધી બ્યુરોને ફરિયાદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *