રેલવેના પ્રશ્નો અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માગ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ વેસ્ટર્ન રેલવેની ડિવિઝનલ રેલ્વે યુઝર્સ ક્ધસલટેટી કમિટી (ડીઆરયુસીસી)ની તા.28ન રોજ મળેલ મીટીંગમાં ઉપસ્થિત રહી રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તે માટે રાજકોટ વેસ્ટર્ન રેલ્વે ડીઆરએમ અશ્વિનીકુમાર તથા સેક્રેટરી અને સીનીયર ડીસીએમ સુનિલકુમાર મિનાને નીચે મુજબના વિવિધ પ્રશ્નો-સૂચનો રજુ કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર મેઈલનો જે મુળભુત સમય સાંજે 6-30 વાગ્યાનો હતો તે મુજબ કરવો તથા તા.26-4-2024ના રોજ રાજકોટ ચેમ્બર દ્વારા ‘વિકસીત ભારત 2047’ અંગે કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્ર્વીની વૈષ્ણવની ઉપસ્થિતિમાં પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રેલ્વે મંત્રીએ આગામી ભારતીય રેલ્વે રોડ-મેપ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી તેમજ તમામ જરૂરી સુવિધાઓથી સજજ સાથે 1309 જેટલા રેલ્વે સ્ટેશનોનું પુન:નિર્માણ કરવામાં આવશે. જેમાં રાજકોટની પસંદગી કરવામાં આવેલ છે. આ અંગે રેલ્વે મંત્રીએ રાજકોટ ચેરમેનને રાજકોટ રેલ્વે ડિઝીટલ તરફથી તૈયાર થનાર થ્રી ડી મોડેલ ડિઝાઈન ઉપર સુચનો મોકલી આપવા ખાસ અનુરોધ કરેલ. જેથી રાજકોટ ડીઆરએમને આ ડીઝાઈન તૈયાર કરવા રજૂઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *