હજ માટે મક્કા ગયેલા 98 ભારતીયોના મોત

સાઉદી અરેબિયાના મક્કામાં આ વર્ષે હજ કરવા ગયેલા 98 ભારતીયોના મોત થયા છે. વિદેશ મંત્રાલયે આ વાતને સમર્થન આપ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે આ તમામ લોકોના મૃત્યુનું કારણ બીમારી અને વૃદ્ધાવસ્થાને ગણાવ્યું હતું.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો હજ યાત્રાએ જાય છે. આ વર્ષે પણ 1,75,000 લોકો હજ કરવા માટે સાઉદી અરેબિયા ગયા છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે હજ યાત્રા દરમિયાન 187 ભારતીય નાગરિકોના મોત થયા હતા.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમારું હજ મિશન મક્કામાં કામ કરી રહ્યું છે. મુસાફરો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અમે આ પ્રકારના અકસ્માત અંગે તાત્કાલિક પગલાં લઈએ છીએ. દરેકનું ધ્યાન રાખવામાં આવે છે. મંત્રાલયે કહ્યું કે મક્કામાં ખૂબ જ ગરમી છે. ત્યાં લોકો ગરમીનો ભોગ પણ બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *