દાવો- અમેરિકન એજન્સી સીધા અદાણીને સમન્સ ન મોકલી શકે

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અબજો રૂપિયાની લાંચ અને છેતરપિંડીના આરોપમાં સમન્સ મોકલવાનું યુએસ સિક્યોરિટીઝ એન્ડ કમિશન (SEC)ની સત્તામાં નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે. તે કહે છે કે સમન્સ યોગ્ય રાજદ્વારી માધ્યમથી મોકલવા પડશે.

ગૌતમ અદાણી સહિત 8 લોકો સાથે સંબંધિત આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે તપાસની માંગ કરી છે. પિટિશનમાં અદાણી ગ્રુપ સામે શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા આરોપોમાં માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ખામીઓનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયાની વિશ્વસનીયતા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

પિટિશનર વિશાલ તિવારીએ જણાવ્યું હતું કે, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના આદેશ અને યુનાઇટેડ સ્ટેટ્સ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનની ફરિયાદથી અદાણી ગ્રુપની ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. તેમણે કહ્યું કે આરોપો એટલા ગંભીર છે કે દેશના હિતમાં આ મામલાની ભારતીય એજન્સીઓ દ્વારા પણ તપાસ થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *